ડીંડોલીમાં ત્રણ દિવસ અગાઉ રામકૃષ્ણ પાટીલની હત્યા કેસમાં ધરપકડ કરાયેલા આરોપીઓ યશ શિંદે અને કમલાકર રૂલે નામના આરોપીઓને બુધવારે પોલીસે જાહેરમાં વરઘોડો કાઢ્યો હતો.ઘટનાનું રિ કન્સ્ટ્રક્શન કરી સ્થળ નું પંચનામું કરાયું હતું. રાહુલ પાટીલ જોડે થયેલ ઝઘડા ની અદાવતમાં બંને આરોપીઓએ રામકૃષ્ણ પાટીલ અને તેના પર હુમલો કર્યો હતો. જેમાં રામકૃષ્ણ પાટીલ નું મોત નીપજતા ડીંડોલી પોલીસે હત્યાનો ગુનો નોંધી બંને આરોપીઓની ધરપકડ કરી હતી. જે બંનેની જાહેરમાં સરભરા કરવામાં આવી.