વંથલી તાલુકાના ખોખરડા ગામે અંદાજિત રૂપિયા 60 લાખના ખર્ચે તૈયાર થયેલ પ્રાથમિક શાળાના નવનિર્મિત રૂમોનુ લોકાર્પણ માણાવદરના ધારાસભ્ય ની ઉપસ્થિતિમાં 19 ડિસેમ્બર અને શુક્રવારે 12 કલાકે કરાયું હતું.આ તકે સાવજ ડેરીના ચેરમેન દિનેશભાઈ ખટારીયા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાથે વંથલી તાલુકા સંઘના ચેરમેન રમેશભાઈ ડાંગર, પીજીવીસીએલ અધિકારી, પ્રાથમિક શાળાના આચાર્ય સહિત સ્ટાફ અને ગ્રામ પંચાયતના પદાધિકારીઓ ગ્રામજનો, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.