આજરોજ રાજવી ફાટકથી ગોપાલપુરી રેલ્વે લાઈન સુધીના વિસ્તારમાં કાર્યવાહી હાથ ધરી રાપરીયા હનુમાન મંદિરથી ગોપાલપુરી સુધીની પાણીની એક્સપ્રેસ લાઈન પરના 100થી વધુ દબાણો હટાવવામાં આવ્યા,આ કાર્યવાહી મનપા કમિશનર મનીષ ગુરવાનીના માર્ગદર્શન હેઠળ અને નાયબ કમિશનર મેહુલ દેસાઈની દેખરેખમાં મહાનગરપાલિકાના 4 જે.સી.બી., 4 ટ્રેકટર,15 કર્મચારીઓ તથા દબાણ ઇન્સ્પેકટર ગાયત્રીપ્રસાદ જોષી તથા તેઓની ટીમ હાજર રહી કુલ- 100 દબાણો દુર કરવામાં આવેલ છે.