સોમવારે છઠ્ઠપૂજા ને લઈ બિહાર વિકાસ મંડળ દ્વારા રાંદેર સ્થિત કોઝવે ખાતે સ્ટેજ સહિતની વ્યવસ્થા કરવામાં આવી હતી.પાલિકા અને બિહાર વિકાસ મંડળ દ્વારા કરવામાં આવેલ તૈયારીઓ પર પાણી ફરી વળ્યા હતા.ઉપરવાસમાં પડી રહેલા ભારે કમોસમી વરસાદના કારણે કોઝ્વેની જળ સપાટીમાં વધારો થયો છે.જે જળ સપાટી વધતા કોઝવે કિનારે તૈયાર કરવામાં આવેલ સ્ટેજ સહિત પૂજા માટેની ડેરીઓ પાણીમાં સંપૂર્ણ ગરકાવ થઈ ગઈ હતી.જેના કારણે અન્યત્ર સ્થળે છઠ્ઠ પૂજા માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી.