ગોધરા તાલુકાના રતનપુર રેલીયા ગામે SOG પોલીસે ગેરકાયદેસર તબીબી પ્રેક્ટિસનો પર્દાફાશ કર્યો છે. પંચમહાલ પોલીસના ઉચ્ચ અધિકારીઓની સૂચના મુજબ SOG પોલીસ ઇન્સ્પેક્ટર આર.એ. પટેલના માર્ગદર્શન હેઠળ એએસઆઈ જે.એ. પરમાર તથા આરોગ્ય વિભાગની ટીમે તા. ૫ ફેબ્રુઆરીએ તપાસ કરી હતી. તપાસમાં દિપકકુમાર ચંપકલાલ શાહ દ્વારા કોઈ માન્ય ડિગ્રી કે લાયસન્સ વગર એલોપેથીક સારવાર આપવામાં આવતી હોવાનું બહાર આવ્યું. પંચોની હાજરીમાં રૂ. ૫૭,૭૮૩ કિંમતની એલોપેથીક દવાઓ અને તબીબી સાધનો કબ્જે