વલ્લભીપુર: તાલુકાના શાહપુર ગામે સરપંચ તેમજ આગેવાનોનો સન્માન કાર્યક્રમ યોજાયો
આજે તારીખ 29 ઓક્ટોમ્બર 2025 ના રોજ વલ્લભીપુર તાલુકાના શાહપુર ગામે ગામ લોકો દ્વારા સરપંચ તેમજ આગેવાનોનો સન્માન કાર્યક્રમ યોજાયો હતો જેમાં વલ્લભીપુર તાલુકા પ્રમુખ મેહુલસિંહ ગોહિલ , યુવા અગ્રણી બ્રીજરાજસિંહ ગોહિલ , ડિસટીક બેંકના ચેરમેન અજીતસિંહ ગોહિલ,જિલ્લા આરોગ્ય ચેરમેન અશોકભાઈ સોલંકી , જલાલપર ગામના સરપંચ દીપકભાઈ સોલંકી , હંસરાજભાઈ હાડા,સહિત મોટી સંખ્યામાં ગામ લોકો ઉપસ્થિત રહ્યા હતા, તમામ સન્માનિત આગેવાનો ને શાલ ઓઢાડી અભિવાદન કર્યું હતું.