ગોપાલ નગર સોસાયટી, બાબેન ખાતે આવેલા શ્રી વિઘ્નેશ્વર મહાદેવ મંદિરની પ્રથમ સાલગીરી નિમિત્તે શ્રી શિવ મહાપુરાણ કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. મહાશિવરાત્રીના પર્વના પાવન અવસરે આયોજિત આ ધાર્મિક મહોત્સવ અંતર્ગત સોમવારે સવારે બાબેન તળાવ કિનારે આવેલા અંબાજી મંદિરેથી વિશાળ કાળશયાત્રા નીકળી હતી, જે ભવ્યતા અને ભક્તિભાવ સાથે કથા મંડપ સુધી પહોંચી હતી. કાળશયાત્રામાં મોટી સંખ્યામાં મહિલા ભક્તો, યુવાનો અને શ્રદ્ધાળુઓ જોડાયા હતા.