ગોધરા તાલુકાના કોટડા ગામે રહેતા નરેન્દ્રકુમાર બારીયા ગુમ થતાં પરિવારજનોએ પોલીસમાં જાણ કરી છે. તેમની પત્ની મંજુલાબેન બારીયાએ ગોધરા તાલુકા પોલીસમથકે નોંધાવેલી જાણવાજોગ મુજબ, નરેન્દ્રકુમાર બારીયા 27 ફેબ્રુઆરીના રોજ સવારે આશરે 6 વાગ્યે “ભાવનગર જાઉં છું” કહીને ઘરેથી નીકળ્યા હતા. પરંતુ તેઓ ભાવનગર પહોંચ્યા નહોતા અને ત્યારથી ક્યાંક ચાલી જઈ ગુમ થઈ ગયા છે. પરિવારજનો દ્વારા ઘણી શોધખોળ કરવા છતાં કોઈ માહિતી મળી નથી. સમગ્ર મામલે ગોધરા તાલુકા પોલીસે જાણવાજોગ નો