ભાવનગરના બહુ ચર્ચિત નવનીત બલઘીયા હુમલા કેસમાં આખરે જયરાજ આહીર ના જામીન મંજૂર થયા છે. 14 દિવસ બાદ જયરાજ આહીરને મહુવા કોર્ટમાંથી જામીન મળતા ભાવનગર જિલ્લા જેલમાંથી જયરાજ આહીર આજે મુક્ત થશે. બગદાણાના પૂર્વ સરપંચ નવનીત બલઘીયા ઉપર હુમલાની ઘટના બની હતી જેમાં 29 ડિસેમ્બરના રોજ બગદાણા પોલીસ મથકમાં ગુનો દાખલ થયો હતો. આ કેસમાં અગાઉ આઠ વ્યક્તિને જામીન મળ્યા હતા અને આજે જયરાજ આહિર સહિત છ વ્યક્તિના જામીન મંજૂર થતા કોર્ટ ખાતેથી મુક્ત કરાયા હતા.