સુરેન્દ્રનગર જિલ્લામાં નવેમ્બર માસ દરમિયાન બેવડી ઋતુ ના કારણે રોગચાળામાં વધારો નોંધાયો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. ઓક્ટોબર માસ ની સરખામણીમાં નવેમ્બર માસમાં ઓપીડી ની સંખ્યામાં 13560 નો વધારો નોંધાયો હતો જેમાં શરદી ઉધરસના જ 1727 કેસ જોવા મળ્યા હતા આ ઉપરાંત ઝાડા ઉલ્ટીના 502 કમળાના 3 અને ટાઈફોઈડ ના 4 કેસ નોંધાયા હતા.