આણંદ શહેરના વિદ્યાનગર રોડ ઉપર આવેલા પ્રમુખ કુટિરના ભક્તિ બંગલોમાં રહેતા એક વિધવાની પલોલ અને રુણજ બાદ તારાપુર ગામે આવેલી ૮૫ ગુંઠા જમીન પર પતિના મિત્રએ કબજો જમાવી દેતાં આ અંગે તારાપુર પોલીસે અધિક જિલ્લા કલેક્ટરના આદેશ અનુસાર લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરીને ખંભાતના ડીવાયએસપીએ તપાસ હાથ ધરી છે.ફરિયાદી પુર્વિકાબેન અનંતકુમાર પટેલે હિતેશભાઈ વાસુદેવભાઈ પટેલ વિરુદ્ધ લેન્ડ ગ્રેબીગની ફરિયાદ નોંધાવી છે.