ટુંડી ગામના ખેડૂત કેયુરભાઈ સુરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, તેમના સર્વે નંબર 127 પાસે પસાર થતી એગ્રીકલ્ચર પાવર લાઈનના આશરે 11 ગાળા (સ્પાન) જેટલા વીજ વાયરોની ચોરી થઈ છે. નોંધનીય છે કે, છેલ્લા ત્રણ-ચાર મહિનામાં આ બીજી વાર ચોરીની ઘટના બની છે. વાયરો કપાઈ જવાને કારણે ખેતરમાં ઉભેલા શેરડી જેવા પાકને પાણી આપવાનું અશક્ય બન્યું છે, જેનાથી પાક સુકાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે.