સુરત :સુરત આરટીઓ કચેરીમાં સોમવારે એજન્ટોના પ્રવેશ પર અચાનક રોક લગાવવામાં આવતા સમગ્ર દિવસ દરમિયાન ઊહાપોહનો માહોલ સર્જાયો હતો. આરટીઓ અધિકારીએ સરકારી કચેરીમાં એજન્ટોના પ્રવેશ મુદ્દે કડક વલણ અપનાવતા સિક્યુરિટી ગાર્ડ્સને સ્પષ્ટ સૂચના આપી હતી કે કોઈપણ એજન્ટને કચેરીમાં પ્રવેશ ન આપવા. આ સૂચનાના પગલે કચેરી ખૂલતાની સાથે જ ગેટ પર તૈનાત સિક્યુરિટી સ્ટાફ એલર્ટ થઈ ગયો હતો અને એકપણ એજન્ટને અંદર પ્રવેશ આપવામાં આવ્યો ન હતો.