ગત 11 એપ્રિલ 2015 ના કાનમેર ગામના ચોકમાં મેવાસામાં રહેતો આરોપી ડાયા હરી ગોહિલ જાહેરમાં ગાળો બોલતો હતો.જેથી ફરિયાદી જામાભાઈ જગાભાઈ રબારી ગાળો બોલવાની ના પાડતા આરોપીએ બોલાચાલી કરી છરીથી ઈજા પહોચાડી હતી. રાપર કોર્ટે ઈજા પામનારને રૂપિયા 20 હજાર વળતર ચુકવવા આદેશ કર્યો છે.જ્યારે બાદરગઢમાં 12 મે 2022 ના ફરિયાદી લીલાવતીબેન કાનજીભાઈ વેરાત ખેતરમાં હતા.ત્યારે ગોવિંદપરના આરોપી મોતી બેસરા ભરવાડ,કલા ભગુ ભરવાડ અને ગણેશ ખીમા ભરવાડે મારામારી કરી હતી.