માંગરોળ: દરિયાની અધવચ્ચે માછીમારને ગભરામણ થઈ અને હોસ્પિટલ પહોંચે તે પહેલા જ દમ તોડ્યો માંગરોળ બંદરેથી ફિશિંગમાં ગયેલી બોટમાં મચ્છી ખાધા બાદ માછીમારે ગભરામણ અને ગળામાં દુઃખાવાની ફરિયાદ કરતા બોટ કાંઠે પરત ફરી હતી. ત્યારબાદ માછીમારને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલે ખસેડાતા તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. પાંચેક દિવસ પહેલા ટંડેલ અને સાતેક ખલાસીઓ સાથે શિવગંગા બોટ માછીમારી માટે રવાના થઈ હતી. માંગરોળથી આશરે 12 કિ.મી. દૂર ખલાસીઓ ફિશિંગ કરતા હતા. એ સમયે