મહિલા અને બાળ કલ્યાણ રાજ્યમંત્રી ડૉ. મનીષા વકીલે આજે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ઘટક-૧ અંતર્ગત આવેલા આંગણવાડી કેન્દ્ર નં.૪૪ની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન મંત્રીશ્રીએ કેન્દ્રના નાના ભૂલકાઓ સાથે કાલીઘેલી ભાષામાં વાતચીત કરીને બાળકો પ્રત્યેનો વાત્સલ્યભાવ વ્યક્ત કર્યો હતો.આંગણવાડીના બાળકો સાથે વાત્સલ્યપૂર્ણ સંવાદ કરી પૂર્વ પ્રાથમિક શિક્ષણ અને સર્વાંગી વિકાસ માટે જરૂરી માર્ગદર્શન આપ્યું.