કરજણ: મિંયાગામની શેરીઓમાંથી વરસાદી પાણી વહેતાં થતાં ગ્રામજનો મુશ્કેલીમાં મૂકાયા.
સમગ્ર કરજણ પંથકમાં આજે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.ત્યારે કરજણ તાલુકાના મિંયાગામ ખાતે પણ વરસી રહેલા વરસાદને પગલે નીચાંનવાળા કેટલાક વિસ્તારમાં વરસાદી પાણી ભરાયાં હતાં.જેના કારણે ગામની શેરીઓમાંથી નદી વહેતી હોય તેવા વરસાદી પાણી વહેતાં થયાં હતાં.જેને લઇને ગામની શેરીઓ લોકોની અવર જવર વગર સૂમસામ જોવા મળી હતી.અવિરત વરસાદને પગલે શેરીઓમાં વરસાદી પાણી વહેતાં થતાં ગ્રામજનો મુશ્કેલીમાં મૂકાયા હતા.