પંચમહાલ પેરોલ-ફર્લો સ્કવોર્ડે શહેરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ બનાવટી દસ્તાવેજોના ગુન્હામાં નાસતા ફરતા આરોપી રથીનભાઇ અતુલભાઇ દેસાઇને અમદાવાદથી ઝડપી લીધો છે. આરોપીને પકડવા માટે પો.સ.ઇ. બી.એમ. રાઠોડની સૂચનાથી પેરોલ-ફર્લો સ્કવોર્ડ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. એ.એસ.આઇ. રૂપસિંહ કલાભાઇએ હ્યુમન સોર્સિસ મારફતે માહિતી મેળવી હતી. મળેલી બાતમીના આધારે તપાસ કરતાં આરોપીને અમદાવાદના એલ.જી. ગ્રાઉન્ડ પાસે, મણિનગર વિસ્તારમાંથી ઝડપી લેવામાં આવ્યો હતો.