ગોધરા તાલુકાના છાબણપુર સ્થિત ખોડિયાર માતા મંદિરે સોનલ ચારણ ગઢવી સમાજ દ્વારા ૧૯મો સમૂહ લગ્નોત્સવ યોજાયો. આ કાર્યક્રમમાં સમાજના આગેવાનો, અધિકારીઓ અને મોટી સંખ્યામાં સમાજબંધુઓ ઉપસ્થિત રહ્યા. સમૂહ લગ્નોત્સવમાં કુલ ૩૮ નવદંપતીઓએ લગ્નબંધનમાં બંધાઈ નવજીવનની શરૂઆત કરી, જેમાં પંચમહાલ, દાહોદ, મહીસાગર અને છોટા ઉદેપુર જિલ્લાના યુવક-યુવતીઓ જોડાયા. લગ્ન ખર્ચ ઘટાડવો, ફાજલ ખર્ચ ટાળવો અને યુવાપેઢીને શિક્ષણ તથા વિકાસ તરફ પ્રોત્સાહિત કરવો એ મુખ્ય હેતુ રહ્યો. પરંપરાગ