ગાંધીનગર: અડાલજ અંબાપુર નર્મદા કેનાલે જન્મદિન મનાવા ગયેલા યુવક-યુવતી પર અજાણ્યા ઇસમે હુમલો કરતા યુવકનું ઘટનાસ્થળે મોત
અડાલજ પાસે અંબાપુર નર્મદા કેનાલ પાસે બની છે, જ્યાં એક યુવક-યુવતી મોડીરાત્રે નર્મદા કેનાલ પાસે પોતાના બર્થ ડે સેલિબ્રેશનમાં મસ્ત હતા. ત્યાં એક અજાણ્યો શખસ લૂંટના ઇરાદે પહોંચ્યો હતો. ત્યાં તેણે યુવકને છરી બતાવી લૂંટ ચલાવવાનો પ્રયાસ કર્યો. આ સમયે યુવક-યુવતીએ પ્રતિકાર કરતાં તે શખસે છરી વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં વૈભવ મનવાણી નામના યુવકનું ઘટનાસ્થળે મોત થઈ ગયું અને યુવતી ગંભીર ઈજાગ્રસ્ત થતાં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ છે. 15 ટિમો કામે લાગી