ગોધરા: કરસાણા ગામે ૪ ગાયો કૂવામાં પડી જવાની ઘટના બની ગ્રામજનોએ ભારે જહેમત બાદ તમામનું સુરક્ષિત રેસ્ક્યુ કર્યું
ગોધરા તાલુકાના છકડીયા ચોકડી નજીક આવેલા કરસાણા ગામે ગત મોડી રાત્રે એક ચાર જેટલી ગાયો કૂવામાં પડી જવાની ઘટના બની હતી જંગલ વિસ્તારમાં ચરવા ગયેલી 4 ગાયો અચાનક ખુલ્લા કૂવામાં પડી ગઈ હતી. જોકે, સ્થાનિક લોકોની સમયસૂચકતા અને ભારે જહેમતના પરિણામે ચારેય ગાયોને સહી-સલામત બહાર કાઢવામાં સફળતા મળી છે