અંજારના મેઘપર કુંભારડી નજીક શનિ મંદિર પાસે નર્મદા કેનાલમાં ડૂબેલા યુવકનો મૃતદેહ આજે બીજા દિવસે મળી આવતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.ગઇકાલે ડૂબેલા 28 વર્ષીય ગોપી નારાયણ વડેચાની શોધખોળનો આજે કરૂણ અંત આવ્યો છે. લાંબા રેસ્ક્યુ ઓપરેશન બાદ આજે મૃતદેહને કેનાલમાંથી બહાર કાઢવામાં આવ્યો છે.ગઇકાલ સાંજથી લાપતા બનેલા આ યુવકને શોધવા માટે અંજાર પોલીસ,મામલતદાર ભગવતીબેન ચાવડા સહિત સમગ્ર ટીમ અને ફાયર વિભાગની ટીમોએ ભારે જહેમત ઉઠાવી હતી.