તિલકવાડા: દેવલ્યા ખાતે ભાજપા દ્વારા સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો. સ્વદેશી અપનાવી 'વોકલ ફોર લોકલ'ની દિશામાં આગળ વધવા સૌને અપીલ કરાઇ
દેવલ્યા ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા આત્મનિર્ભર ભારત સંકલ્પ સાથે સ્નેહમિલન સમારોહ યોજાયો. કાર્યક્રમ ની શરૂઆત દીપ પ્રગટી ધ્વારા કરવામાં આવી. સાથે જ મહાનુભાવોને પુષ્પગુચ્છ આપી સન્માનિત કરાયા. આ કાર્યક્રમ દરમિયાન સ્વદેશી અપનાવવા તમામ કાર્યકર્તાઓ એ શપથ લીધા. આ સમારોહમાં ઉપસ્થિત આગેવાનોએ આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરવા તમામને એક જ દિશામાં કાર્ય કરવા અપીલ કરી હતી