સુરેન્દ્રનગર મહાનગરપાલિકા બન્યા બાદ સુરેન્દ્રનગર શહેરની જનતા ની સુવિધા માટે મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત આઠથી વધુ સીટી બસો શરૂ કરવામાં આવી હતી પરંતુ હાલમાં શહેરમાં બેથી ત્રણ બસો ચાલી રહી છે જ્યારે બે થી ત્રણ બસો તો બંધ હાલતમાં રોડ ઉપર જ્યાં ત્યાં પડી છે ત્યારે આ બસોના હજી સુધી પાર્સિંગ પણ થયું નથી અને વીમા વગર આ બસો ચાલી રહી હોય તેવા આક્ષેપો નાગરિકો કરી રહ્યા છે ત્યારે જો કોઈ અકસ્માત થશે તો આની જવાબદારી મહાનગરપાલિકાની રહેશે ખરી?