યાત્રાધામ અંબાજી નજીક આવેલા કોટેશ્વર મહાદેવ મંદિરના મહંત ડો.વિશ્મભરદાસ શાસ્ત્રી નું આજરોજ અવસાન થતા ભક્તોમાં દુઃખની લાગણી વ્યાપી ગઈ હતી તેઓ વ્યાકરણ આચાર્ય હતા તેમને વ્યાકરણમાં પીએચડી કરેલી હતી તેઓ કોટેશ્વર મહાદેવ મંદિર માં મુખ્ય મહંત તરીકે વર્ષોથી રહેતા હતા તેમના ભક્તો દર ગુરુ પુનમે તેમના દર્શન કરવા માટે કોટેશ્વર અચૂક જતા હતા તેઓ આયુર્વેદિક દવાના પણ જાણકાર હતા અને ભક્તોને આયુર્વેદિક દવાઓ પણ આપતા હતા તેમના અવસાન થી ભક્તોમાં દુઃખની લાગતી વ્યાપી છે