ભારતની સહકારી ચળવળ અને શ્વેત ક્રાંતિના સફળ મોડેલને સમજવાના હેતુથી શ્રીલંકાના જનતા વિમુક્તિ પેરમુના (JVP) ના જનરલ સેક્રેટરી શ્રી તિલવિન સિલ્વા અને તેમની સાથે આવેલા પાંચ સભ્યોના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળે આજે ગુજરાતના આણંદ ખાતે આવેલી અમૂલ ડેરીની મુલાકાત લીધી હતી.