જાંબુઘોડાના ભાણપુરા ગામે તા.8 ફેબ્રુઆરી રવિવારના રોજ આગની એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ગામમાં એક જ લાઈનમાં આવેલા મકાનો પૈકી ત્રણ મકાનોમાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનામાં બે પરિવારોના રહેણાંક મકાનો સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયા હતા જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જ્યારે આગ લાગતાની સાથે જ ગ્રામજનો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા અને જે સાધન હાથમાં આવ્યું તેનાથી આગ બુઝાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા.