બગદાણા કેસમાં ભોગ બનનાર નવનિત બાલધિયાએ એસઆઇટી સમક્ષ નિવેદન આપ્યા બાદ પ્રતિક્રિયા આપી
Bhavnagar City, Bhavnagar | Jan 19, 2026
બગદાણા ખાતે કોળી સમાજના યુવકને માર મારવાની ઘટનાના કેસમાં આજે ભોગ બનનાર નવનીતનું નિવેદન લેવામાં આવ્યું હતું. આ કેસમાં એસઆઇટીની રચના કરવામાં આવી હોવાથી એસઆઇટી દ્વારા નવનીતને નિવેદન માટે બોલાવવામાં આવ્યો હતો. નિવેદન બાદ નવનીતે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે તેમને એસઆઇટીની કામગીરી પર પૂર્ણ ભરોસો છે અને હુમલો જયરાજ આહિરે જ કરાવ્યો હોવાનો પોતાનો દાવો યથાવત રાખ્યો છે. સાથે જ તેણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે આ મામલે સમાધાન આજે પણ નહીં અને કાલે પણ નહીં.