આણંદ જિલ્લા પંચાયતના આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર સુભાષ પ્રજાપતિએ જણાવ્યું હતું કે બાળકોને કૃમિનાશક ગોળી ઉપરાંત વિટામીન A નો ડોઝ પણ આપવામાં આવશે. તેમણે જણાવ્યું કે બાળકને કૃમિનો ચેપ લાગે તો શરીરમાં આર્યનની ઉણપ એટલે કે પાંડુરોગ થાય છે. બાળકને કૃમિનાશક દવા આપવામાં આવે તો બાળકોમાં પાંડુરોગનુ પ્રમાણ ધટાડી શકાય છે અને બાળકની જીવનધોરણની ગુણવતામાં વધારો થઇ શકે છે.