સરકારની મહત્વકાંક્ષી 'પીએમ સૂર્ય ઘર યોજના' (PMSG) અંતર્ગત આણંદ જિલ્લામાં સોલર રૂફટોપના અમલીકરણમાં નોંધપાત્ર સફળતા જોવા મળી રહી છે. આણંદ જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી કુલ ૨૧,૫૯૧ અરજીઓ પ્રાપ્ત થઈ હતી, જેમાંથી ૧૭,૭૪૭ ગ્રાહકોના ઘરે સોલર મીટર લગાવીને સબસિડી ચૂકવવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.