માંગરોળ તાલુકાના રણકપોર ગામે સરકારી ગૌચરની જમીન સર્વે નંબર 119 માં બિનઅધિકૃત રીતે માટી ખોદકામ થયા અંગેની ફરિયાદ ગામના ડેપ્યુટી સરપંચ જશોદાબેન પટેલ દ્વારા કરવામાં આવી હતી સર્કલ ઓફિસર દ્વારા સ્થળ તપાસ કરાતા સર્વે નંબર 119 વાળી ગૌચરની જમીનમાં બિન અધિકૃતિ રીતે માટી ખોદકામ થયું હોવાનું જણાયું હતું જેથી મામલતદાર દ્વારા ભૂસ્તર વિભાગ સુરત કચેરીના અધિકારી ને નિયમ અનુસાર કાર્યવાહી કરવા વિનંતી કરી છે