ખાંભાના જામકા ગામે પ્લોટમાંથી પથ્થરો હટાવવાનું કહેતા બે પક્ષમાં બબાલ થઈ હતી. બંને પક્ષોએ સામ સામી કરિયાદ નોંધાવી હતી. વિમાળાબેન કાળાભાઈ પરમાર (ઉં.વ. ૩૨)એ સુરેશભાઈ છનાભાઈ પરમાર, છનાભાઈ કરશનભાઈપરમાર, શાંતુબેન છનાભાઈ પરમાર તથા વનીતાબેન સુરેશભાઈ પરમાર સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે. તેમની માલિકીના પ્લોટમાં પાલા (પથ્થરો) પડ્યા હતા. જે હટાવી લેવા બાબતે કહેતા આરોપીઓને સારૂ નહોતું લાગ્યું. ચારેય આરોપીઓએ તેમને તથા સાહેદને ગાળો આપી હતી, પોલીસ ફરિયાદ નોંધાય.