ભાવનગર મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજનાના મહાદેનગરની બાજુમાં, તરસમીયા રોડ સ્થિત ફાઈનલ પ્લોટ નં. 48 ખાતે કુલ 92 આવાસો માટે ભાડુઆતનો સર્વે કરવામાં આવ્યો. સર્વે દરમિયાન 33 ભાડુઆતો, 35 મૂળ લાભાર્થીઓ અને 24 બંધ મકાનો મળી આવ્યા. ભાડુઆતોને 7 દિવસમાં આવાસ ખાલી કરવા સ્થળ પર સૂચના આપવામાં આવી છે. નિર્ધારિત સમયમર્યાદામાં આવાસ ખાલી ન કરાય તો મકાનો સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવશે તેવી તાકીદ કરવામાં આવી છે.