પાલનપુર તાલુકાના વેડંચા ગામના મૂળ વતની અને મેતા ખાતે સ્થાયી થયેલા અને હાલમાં ગાંધીનગર એસીબી ફિલ્ડ એકમમાં ફરજ બજાવતા 52 આંટા રાજપૂત સમાજના એએસઆઈ પ્રવિણસિંહ રાજપૂતને આજે મંગળવારે ત્રણ કલાકે આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ નિમિત્તેરાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા ઉત્કૃષ્ટ કામગીરી બદલ પ્રશંસા પત્ર આપી અને સન્માનિત કરવામાં આવ્યા હતા.