હાલ મુસ્લિમોનો પવિત્ર રમઝાન મહિનો ચાલી રહ્યો છે. ત્યારે અમદાવાદ જિલ્લાના ધોળકા ખાતે દરરોજ સાંજે મેનાબેન ટાવર ચાર રસ્તા અને ઘાંચી ઢાળ ચોકમાં લોકો રોઝા ઈફ્તાર માટે ખરીદી કરવા ઉમટી પડે છે ત્યારે અહીં રમઝાનની રોનક જોવા મળે છે. તા. 02/03/2026 સોમવારે સાંજે 6 વાગે ધોળકા ખાતે મેનાબેન ટાવર અને ઘાંચી ઢાળની રૂબરૂ મુલાકાત લીધી ત્યારે રમઝાન બજારમાં ભારે ભીડ જોવા મળી હતી.