બનાસકાંઠા જિલ્લા સહિત વડગામ પંથકમાં બદલાયેલા વાતાવરણના કારણે ખેડૂતોની ચિંતા વધી છે. ઉનાળુ સિઝનમાં કમોસમી વરસાદનો માર વેઠી ચૂકેલા ખેડૂતો ફરી જો કમોસમી વરસાદ થાય તો મોટું નુકસાન ખેડૂતોને થશે તેવી ચિંતામાં જોવા મળી રહી છે ત્યારે કમોસમી વરસાદ ન થાય તેવી પ્રાર્થના હાલ તો ખેડૂતો કરી રહ્યા છે.