આણંદ જિલ્લા કલેક્ટર અને કરમસદ આણંદ મહાનગર પાલિકાના વહીવટદારશ્રી પ્રવીણ ચૌધરી અને કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનરશ્રી મિલિંદ બાપનાના માર્ગદર્શન હેઠળ આણંદની બોરસદ ચોકડી પરના ઓવરબ્રિજની પાસે તૈયાર કરવામાં આવેલી ‘કોસમોસ વેલી’ (ફલાવર શો) નું આજે ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેનું મંત્રીશ્રી રમણભાઈ સોલંકી, લોકસભા સાંસદશ્રી મિતેષભાઈ પટેલ અને આણંદના ધારાસભ્યશ્રી યોગેશભાઈ પટેલના હસ્તે રીબીન કાપીને લોકાર્પણ કરવામાં આવ્યું હતું.