સીદસર ગામે શામપરા ચોકડી પર ભાવસંગભાઈ વલ્લભભાઈ પરમાર નામના આધેડની અકસ્માત થયેલી હાલતમાં લાશ મળી આવી હતી. અકસ્માતમાં તેમને માથાના ભાગે ગંભીર ઇજાઓ થયેલું જોવા મળ્યું હતું, આ અંગે સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ રાત્રિ દરમિયાન ખાનગી ટ્રાવેલ્સની બસ લાશ મળી તે સ્થળે પાર્ક કરેલી હતી જે બસના ચાલકે આધેડને ચગદી નાખ્યા હોવાનું અનુમાન છે. જો કે પોલીસે લાશને પીએમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.