લોકોની સમસ્યા, સ્થળ પર ઉકેલ! માંગરોળના શીલ ગામે કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવીયાની ઉપસ્થિતિમાં યોજાયો ‘સેવાસેતુ’ કાર્યક્રમ." માંગરોળ તાલુકાના શીલ ગામે આજે સરકારના મહત્વના સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કેન્દ્રના મંત્રી ડૉ. મનસુખ માંડવીયા ખાસ હાજરી આપવા માટે પહોંચ્યા હતા, જેને લઈ સમગ્ર વિસ્તારમાં ઉત્સાહભર્યો માહોલ જોવા મળ્યો હતો.