સુરેન્દ્રનગર મહાનગરપાલિકા ટીમ દ્વારા શહેરના ગેબનશાપીર સર્કલ પાસેથી પ્રતિબંધિત પ્લાસ્ટિક નો જથ્થો મોટા પ્રમાણમાં ઝડપી પાડ્યો હતો ત્યારે આ મામલે મહાનગરપાલિકાના અધિકારી કેતનભાઈ શાહે કચેરી ખાતેથી પ્રતિક્રિયા આપી હતી અને લોકોને પ્રતિબંધિત પ્લાસ્ટીકનો ઉપયોગ ન કરવા અપીલ કરી હતી.