કોળી પટેલ સમાજ ટ્રસ્ટ, સુરત જિલ્લા દ્વારા આયોજિત ૧૮મો સમૂહલગ્નોત્સવ શ્રી ચરોતરીયા લેઉવા પાટીદાર સેવા સમાજ ભવનની વાડી, ગંગાધરા ચાર રસ્તા ખાતે ભવ્ય રીતે યોજાયો હતો. આ સમૂહલગ્નોત્સવમાં કુલ ૧૩ નવદંપતિઓએ વૈવાહિક જીવનમાં પ્રવેશ કરી પ્રભુતામાં પગલા માંડ્યા. આ સમૂહલગ્નોત્સવ યોજવાનો મુખ્ય હેતુ સમાજમાં પરસ્પર સહકાર, પ્રેમ અને એકતાની ભાવના વિકસાવવાનો તેમજ ફિજુલ ખર્ચ, સામાજિક કુરીવાજો અને આર્થિક ભાર ઘટાડવાનો રહ્યો હતો. સમૂહલગ્નોથી સામાજિક સંગઠન મજબૂત બને છે,