* આણંદ જીલ્લાની તમામ સરકારી કચેરીઓના મુખ્યગેટની આસપાસના ૧૦૦ મીટરની ત્રિજયાના વિસ્તારમાં બિન-અધિકૃત વ્યક્તિઓના પ્રવેશ/ઉભા રહેવા તેમજ કચેરીમાં પ્રવેશવા પર પ્રતિબંધ ફરમાવાયો છે.આણંદ જીલ્લાના કાર્યક્ષેત્ર હેઠળના વિસ્તારમાં આવેલ સરકારી કચેરીમાં ગેરકાયદેસર એજન્ટ તથા ટોળી બનાવીને કચેરીમાં પ્રવેશતા અરજદાર/નાગરિકોને ઉલટી-સીધી વાતો કરી ભોળવીને/લલચાવીને તેમજ ગેરમાર્ગે દોરીને વચેટીયા (એજન્ટ) તરીકે કામ કરાવી આપવાની લાલચ આપે છે. હવેથી કાર્યવાહી કરવામાં આવશે.