ખેડૂત તાલીમ કેન્દ્ર, ગોધરા અને આત્મા પ્રોજેક્ટ, પંચમહાલના સંયુક્ત ઉપક્રમે ગોધરા ખાતે ત્રિ-દિવસીય ‘યુવા સંસ્થાકીય તાલીમ વર્ગ’નું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. તાલીમના ત્રીજા અને અંતિમ દિવસે ગોધરા તાલુકાના પસંદ કરેલ ૩૦ જેટલા ઉત્સાહી યુવા ખેડૂત ભાઈઓએ પ્રાકૃતિક ખેતી અને આધુનિક કૃષિ પદ્ધતિઓનું સઘન માર્ગદર્શન મેળવ્યું હતું. તાલીમ દરમિયાન આત્મા પ્રોજેક્ટ, પંચમહાલના પ્રોજેક્ટ ડાયરેક્ટર અને નાયબ ખેતી નિયામક (તા.) શ્રી ભાવિન મહેતા દ્વારા ખેડૂતોને