દ્વારકેશ ગોપાલક સમાજ ફાઉન્ડેશન તારાપુર દ્વારા 'લાગણીના વાવેતર' શીર્ષક હેઠળ આગામી તારીખ 8/2/26એ ચતુર્થ ભવ્ય સમૂહ લગ્નોત્સવનું આયોજન તારાપુર તાલુકાના જીચકા ગામે કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ૧૧૫ નવયુગલો લગ્નગ્રંથિથી જોડાશે, જેમાં ૪૫ એવી દીકરીઓ છે જેમના શિરે માતા અથવા પિતાનું છત્ર નથી. સમાજ સેવાના પર્યાય અને દક્ષિણ ગુજરાત ભરવાડ સમાજના પૂર્વ પ્રમુખ વિજયભાઈ માલાભાઈ ભરવાડ (ગોકુળ ડેવલપર્સ) અને તેમના પરિવાર દ્વારા આ સમગ્ર શાહી સમૂહ લગ્નનો ખર્ચ ઉઠાવશે.