રાજ્યના તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં બાલવાટિકા તથા ધોરણ ૧ અને ૨ના બાળકો માટે શૈક્ષણિક સાહિત્ય અને અધ્યયન સામગ્રી વર્ષ ૨૦૨૪-૨૫થી ઉપલબ્ધ કરાવવામાં આવી છે. નેશનલ એજ્યુકેશન પોલિસી ૨૦૨૦ અને નિપુણ ભારત મિશન અંતર્ગત આગામી શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬માં વધુ અસરકારક રીતે કરી શકીએ તે માટે તાલીમનું આયોજન કરાયું.