નડિયાદમાં આવેલી રાજીવનગર સોસાયટી માં અડકવાયા શ્વાનનો આતંક. નડિયાદ માં ફરી એકવાર રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો છે. નડિયાદમાં આવેલી રાજીનગર સોસાયટી માં હડકાયા શ્વાને ઘણા લોકોને કરડ્યા હોવાના સમચાર સામે આવ્યા છે. જેમાં બાળકો અને વૃદ્ધાનો પણ સમાવેશ થાય છે. સતત સામે આવતી આવી ઘટનાઓથી આસપાસના લોકોમાં ડરનો માહોલ છે. રાજીવ નગર માં બાળકો પર હડકવા શ્વાને હુમલો કરતા બાળકોને હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા છે.