પવિત્ર તીર્થ પાલીતાણાની તળેટીમાં આવેલા જૈન ભવન ખાતે પરમ પૂજ્ય જૈ ન પિયુષસાગર સૂરીશ્વરજી મહારાજની પાવન નિશ્રામાં તા. ૧ થી ૬ ફેબ્રુઆરી દરમિયાન છ દિવસીય ભવ્ય ધાર્મિક મહોત્સવ અને દીક્ષા મહોત્સવ યોજાયો હતો. મહોત્સવ દરમિયાન પરમાત્માનો પ્રવેશોત્સવ, દીક્ષા કલ્યાણક નિમિત્તે રથયાત્રા, મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ તથા મુમુક્ષુની દીક્ષા અંગીકાર વિધિ યોજાઈ હતી. દીક્ષાર્થીની ભવ્ય રથયાત્રામાં જૈન સમાજના શ્રાવક-શ્રાવિકાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.