માંગરોળ તાલુકાના મોસાલી બાયપાસ માર્ગનું પ્રાંત અધિકારી અને સરકારના વિવિધ વિભાગના અધિકારીઓ દ્વારા સ્થળ પર પંચનામું કરવામાં આવ્યું હતું ભૂતકાળમાં ઉપરોક્ત માર્ગની જમીન સંપાદન કર્યા વિના માર્ગનું નિર્માણ કરાયું હતું ત્યારબાદ થોડા વર્ષો પહેલાં જીઆઈપીસીએલ કંપનીએ આ માર્ગનો ઉપયોગ શરૂ કરતાં સ્થાનિક મિલકત ધારકોએ વળતરની માંગણી કરી હતી અને કોર્ટ માં રીટ દાખલ કરી હતી. કોર્ટ દ્વારા હાલ સ્થળ ઉપર પંચનામું કરવાનો હુકમ કરાયો છે