ગોધરા શહેરના નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલી સરકારી શાળાઓના. છેલ્લા 3 વર્ષ કરતા વધુ સમયથી શહેરની 21 જેટલી સરકારી શાળાઓના નગરપાલિકાનો અંદાજે ₹19 લાખથી વધુનો મિલકત વેરો ભરપાઈ કરવામાં આવ્યો નથી. પાલિકા દ્વારા વારંવાર લેખિત જાણ અને પત્ર વ્યવહાર કરવા છતાં શિક્ષણ વિભાગ દ્વારા આ મામલે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. નગરપાલિકાના સૂત્રોના જણાવ્યા અનુસાર, સામાન્ય નાગરિકો જો વેરો ન ભરે તો નળ કનેક્શન કાપવા કે મિલકત સીલ કરવા જેવી કડક કાર્યવાહી કરવામાં આવે