ગુજરાત રાજ્યના નવ નિયુક્ત તાલુકાની રચનાને સહકારી ક્ષેત્રે પ્રતિનિધિત્વ આપવા બાબતને લઈને મહુવા 170 વિધાનસભાના ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયા એ સહકાર વિભાગના મંત્રી જીતુ વાઘાણી ને પત્ર લખ્યો હતો જેમાં જણાવ્યા હાલમાં જ સરકારે નવા તાલુકાનું વિભાજન કરેલ છે. અને નવા તાલુકાઓ અસ્તીત્વમાં આવી ગયા છે. આગામી સમયમાં સુમુલ, ર ડીસ્ટ્રીક્ટ કો-ઓપરેટીવ, સુગર ફેક્ટરીઓ સંઘો જેવાઓની ચૂંટણી આવનાર પહેલા સહકારી પ્રતિનિધિ નિમવા જણાવ્યું છે.